આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-2024 સમાપન સમારોહ

આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-2024 સમાપન સમારોહ

છોટાઉદેપુર, તા. 3 ડિસેમ્બર 2024

આદિજાતિ સમુદાયના ગૌરવ અને વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા બે દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-2024ની રંગારંગ ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવનો પ્રારંભ કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો, જ્યારે સમાપન કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ કરી.


આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ માર્ગદર્શક સત્રોનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી ધામેલિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય તૈયારી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેમણે સમય વ્યવસ્થાપન, નિશ્ચિત લક્ષ્યો અને મૂલ્યાંકન માટેની ટેક્નિક્સ પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપી.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખે વિદ્યાર્થીઓને પોલીસ ભરતીની શારીરિક અને લેખિત કસોટી માટેની જરૂરી તૈયારીઓ વિશે માર્ગદર્શન આપ્યું.


આમંત્રણપ્રાપ્ત આંતરરાષ્ટ્રીય ખેલાડી શ્રીમતી પાયલ રાઠવાએ પોતાના જીવનના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી. તેમણે સમજાવ્યું કે સરકારની વિવિધ રમતગમત યોજનાઓનો લાભ લઈને યુવા ખેલાડીઓ આગળ વધી શકે છે.

શ્રોફ ફાઉન્ડેશનના સીઈઓશ્રી વિકાસ વાઝેએ વોકેશનલ ટ્રેનિંગ અને કૌશલ્ય વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી.

પ્રોજેક્ટ ઓફિસર શ્રી વિમલ ડામોરે આદિજાતિ વિકાસ વિભાગની શિક્ષણ સંબંધિત યોજનાઓ પર પ્રકાશ પાડ્યો.


સમાપન સમયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર અને નિયામક શ્રી સી.સી. ચૌધરી ઉપસ્થિત રહ્યાં અને આદિજાતિ સમુદાયના વિકાસ માટે સંકલ્પબદ્ધ રહેવાનો સંદેશ આપ્યો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી.

સૌજન્ય: જિલ્લા માહિતી કચેરી, છોટાઉદેપુર

 #TribalEmpowerment

 #JanJatiGaurav

#BirsaMundaJayanti

 #StudentGuidance

 #EducationalExcellence

#PoliceRecruitmentTips

 #SportsInspiration

#BrightFuture

#CareerGuidance

#CommunityProgress



Post a Comment

Previous Post Next Post